MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું થયું નિધન
દેશની દિગ્ગજ મસાલા કંપની મહાશિયા (MDH)ના માલિક મહાશય ધરમપાલજીનું નિધન થઈ ગયું છે. તેમણે સવારે 5.38 કલાકે અંતિમ શ્વાસ લીધા. તેઓ 98 વર્ષના હતા. કોરોનાથી ઠીક સાજા થયા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઈ ગયું. વેપાર અને ઉદ્યોગમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા ધર્મપાલજીને પાછલા વર્ષે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદીયાએ ટ્વિટર પર ટ્વીટ કરીને ધરમપાલજીના નિધનની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ભારતના સૌથી પ્રેરણાસ્ત્રોત ઉદ્યમી, MDH ના માલિક ધરમપાલ મહાશયનું આ સવારે નિધન થયું છે.
ધર્મપાલજી ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923એ સિયાલકોટ (પાકિસ્તાન) માં થયો હતો. 1947 માં દેશના વિભાજન બાદ તેઓ ભારત આવી ગયા. ત્યારે તેમની પાસે માત્ર 1500 રૂપિયા હતા. ભારત આવીને તેમણે પરિવારના ભરણ-પોષણ માટે ઘોડાગાડી ચલાવવાનું શરૂ કર્યું. પછી જલ્દી જ તેમના પરિવાર પાસે એટલી સંપત્તિ જમા થઈ ગઈ કે તેઓ દિલ્હીના કરોલ બાગ સ્થિત અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી શકે.
No comments