ભારત બંધના પગલે સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા આવતીકાલે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેવામાં ગુજરાતમાં બંધ રાખવામાં આવશે કે નહીં તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત આ ભારત બંધને ટેકો આપશે નહીં. એટલું જ નહીં ગુજરાતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ભારત બંધને ટેકો આપી રહ્યું નથી. ગુજરાતમાં આવતીકાલે બધુ જ ચાલુ રહેશે. જો કોઈ બળજબરી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. જેના કારણે હવે ચારથી વધારે લોકો એકઠા થઈ શકશે નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભારત બંધ દરમિયાન રાજ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે અને પોલીસ તંત્ર સજ્જ છે.

No comments