વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્તારોમાં એપીસેન્ટર અને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયા
વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્તારમાં એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તાત્કાલિક અસરથી તા.૧૮/૦૯/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર વલસાડ જિલ્લાના એ.પી. સેન્ટર તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં વલસાડ તાલુકાના પારડી સાંઢપોર, હનુમાન ફળિયા ખાતે આવેલો ફલેટ નં. ૧૦, ત્રીજો માળ, શિવાનંદ એપાર્ટમેન્ટ, હરીપ્રસાદ રામધની જયસ્વાલ, પારડી તાલુકાના બગવાડા જૈન ફળિયા ખાતે આવેલું રૂપાલીબેન ભાવેશભાઇ તંબોલીનું મકાન, પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ-નવા ફળિયા ખાતે આવેલું નિતીનભાઇ મોહનભાઇ ટંડેલનું મકાન, પારડી નગરપાલિકા વિસ્તારના વલસાડી ઝાંપા ખાતે આવેલા રો-હાઉસ નં-૩, અભિનવ એવન્યુ, હરીશભાઇ સી. ચૌહાણના મકાનનો સમાવેશ થાય છે.
જ્યારે કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં વલસાડ તાલુકાના પારડી સાંઢપોર, હનુમાન ફળિયા ખાતે આવેલા શિવાનંદ એપાર્ટમેન્ટના ત્રીજા માળના તમામ ફલેટસ, પારડી તાલુકાના બગવાડા જૈન ફળિયા ખાતે આવેલાં રૂપાલીબેન ભાવેશભાઇ તંબોલી, ઠાકોરભાઇ અને બચુભાઇ મળી કુલ ત્રણ મકાનો મકાન, પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ-નવા ફળિયા ખાતે આવેલાં નિતીનભાઇ મોહનભાઇ ટંડેલ અને યોગેનભાઇ હાજીભાઇ ટંડેલનું મકાન મળી કુલ બે મકાનો, પારડી નગરપાલિકા વિસ્તારના વલસાડી ઝાંપા ખાતે આવેલા રો-હાઉસ નં-ર, ૩ અને ૪ મળી કુલ ત્રણ રો-હાઉસોના તમામ હદ વિસ્તારોનો સમાવેશ થાય છે.
ઉક્ત તમામ વિસ્તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ જે તે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્તારોના તમામ રહેવાસીઓનું સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

No comments