વલસાડ આર.ટી.ઓ. ખાતે તા.૩૦ અને ૩૧મીએ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે
વલસાડની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાવાને કારણે તા.૩૦ અને ૩૧મી જુલાઇ, ૨૦૨૧ના રોજ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન એપોઇમેન્ટ ધરાવતા અરજદરોની એપોઇમેન્ટ આર.ટી.ઓ. કચેરીએથી રીશીડયુલ કરી આપવામાં આવશે, જેની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments