વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્તારોમાં એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયા
વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્તારમાં એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તાત્કાલિક અસરથી તા.૨૫/૧૦/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અંતર્ગત એ.પી.સેન્ટર તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં વલસાડ નગરપાલિકા વિસ્તારના અબ્રામા પ્રમુખ સાનિધ્યની સામે, ફલેટ નં.૫૦૪, પાંચમો માળ, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, નયનાબેન વણઝારા તેમજ વાપી તાલુકાના મોરાઇ ગ્રામ પંચાયતની સામે આવેલી સાંઇ રેસીડન્સીના ફલેટ નં.૧૦૨, પ્રથમ માળ, સી-૧ બિલ્ડિંગ, સંતોષભાઇ ઉબાડેનો સમાવેશ થાય છે.
જ્યારે કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં વલસાડ નગરપાલિકા વિસ્તારના અબ્રામા પ્રમુખ સાનિધ્યની સામે કર્મભૂમિ એપાર્ટમેન્ટના પાંચમા માળના તમામ ફલેટસ તેમજ વાપી તાલુકાના મોરાઇ ગ્રામ પંચાયતની સામે આવેલી સાંઇ રેસીડન્સી, સી-૧ બિલ્ડિંગના પ્રથમ માળના બધા ફલેટ્સના તમામ હદ વિસ્તારોનો સમાવેશ થાય છે.
ઉક્ત તમામ વિસ્તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ જે તે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્તારોના તમામ રહેવાસીઓનું સ્ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

No comments