સાત પગલાં ખેડૂત કલ્યાવણના અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ
બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા ખેડૂતોનું
સન્માન કરાયું
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા મથકે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના
અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય
નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કાર્યક્રમ વન
અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત
પગલા ખેડૂત કલ્યાણના પૈકી બીજા બે પગલાની
શરૂઆત કરી બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ
વિજેતા ખેડૂતોનું સન્માન કરી ચેકોનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે
કરાયું હતું. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે
ગાંધીનગરથી વેબકાસ્ટિંગના માધ્યમ થકી
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની જાણકારી આપી હતી.
આ અવસેર જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ,
જિલ્લા વિકાસ અધિકારી અર્પિત
સાગર, માજી ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખશ્રી,
અગ્રણી મહેશભાઇ ભટ્ટ,
ખેતીવાડી તેમજ આત્મા
પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ, ખેડૂતમિત્રો, હાજર રહયા હતા.




No comments