હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ જિલ્લા કલેકટર તથા વાપી શહેર મામલતદારને રેશનકાર્ડ મા બંધ થયેલ અનાજ ચાલુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.
હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રમુખ યુસુફ ઘાંચી, નાસીર પાનવાલા, સુહેલ શેખ, અબદુલઅઝીઝ શેખ, સલમાન ચૌહાણ, અસ્લમ મેતર, આરીફખાન, જીલુબેન મન્સુરી, આસીફ ઘાંચી સહિત અગ્રણીઓ દ્વારા જે રેશનકાર્ડમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારો ને અનાજ મળતું હતું તે છેલ્લા બે ચાર વર્ષોથી બંધ કરવામાં આવ્યું છે. તે રેશનકાર્ડોમા અનાજ ચાલુ કરાવવા માટે વલસાડ જિલ્લા કલેકટર આર. આર. રાવલ તથા વાપી શહેર મામલતદાર પ્રશાંત પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી હતી કે વાપી શહેરમાં ગરીબ કામદાર વર્ગ, નોકરીયાત વર્ગ, તથા દરરોજ મજુરીકામ કરનાર હજારો પરિવાર પોતાના પરિવાર સાથે રહે છે અને રેશનકાર્ડ મા અનાજ બંધ કરવામાં આવતા ગરીબ પરિવારોને અનાજ ન મળવાથી આ બેરોજગાર તથા લોકડાઉન નાં સમયે તથા હાલમાં ખુબ જ મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.હજારો પરિવારો વાપીમાં આવેલા સ્લમ તથા ઝુંપડપટ્ટી વિસ્તારો, વોર્ડ નં ૬ અને ૭ માં આવેલા ગીતાનગર, કંચનનગર, કોળીવાડ , ટાકીફલિયા, છીરી, ડુંગરી ફળિયા, તથા વાપી શહેરમાં આવેલા ગરીબ વિસ્તારોમાં રાશનકાર્ડ મા અનાજ ચાલુ કરી ગરીબોને તથા રેશનકાર્ડ ધારકોને અનાજ નું વિતરણ કરવામાં આવે તો રાહત થાય અને હાલમાં કોરોના કાળ ના કપરા સમયમા સરકાર તરફથી યોગ્ય સમયે અનાજ ચાલુ થવાથી હજારો મજુરવઞૅ ના પરિવારોને રાહત મળે તે તેવી માગણી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ એ કરી હતી.
ટ્રસ્ટના અગ્રણીઓ ની રેશનકાર્ડ મા અનાજ વિતરણ ની રજૂઆત ને વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા શાંતિપૂર્વક સાંભળીને અગ્રણીઓ ને ગરીબોનાં પરિવાર નેં રેશનકાર્ડ મા અનાજ મળતું થાય તે માટેની કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.તથા સરકાર પણ આ વિશે ગંભીરતાથી પ્રજા સાથે છે.સાથે વાપી શહેર મામલતદાર પ્રશાંત પરમારે પણ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ ની રજૂઆત સાંભળી ને રેશનકાર્ડ મા ગરીબો માટે અનાજ વિતરણ વિશે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

No comments