નીતિન પટેલે કરી ખાસ સ્પષ્ટતા | ઉત્તરાયણમાં ધાબા પર કેટલા લોકો એકઠા થઈ શકશે?
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર કોઇપણ સંજોગોમાં એક ધાબા પર સોસાયટીના 50 લોકો ભેગા થાય એવી મંજૂરી નહીં આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આ જીવલેણ મહામારી ફેલાય નહી તે માટે પતંગ ઉત્સવ રદ કર્યો હતો. કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. આ અરજી અંગે હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. જે બાદ સરકારે તાબડતોબ જાહેરાત કરતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન આ વર્ષ માટે રદ કરી નાખ્યું હતું.

No comments